લેબલ અન્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અન્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 6 માર્ચ, 2016

પરીક્ષા પાથેય


Best of Luck
વાચકમિત્રો,

બોર્ડની પરીક્ષા ટકોરા મારી રહી છે, ખરું ને..... આ જ બાબતને અનુલક્ષીને બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ અને તેમના પેરેન્ટ્સને ઉપયોગી થાય તે હેતુ સાથે Best of Luck વિષય હેઠળ સરળ ભાષામાં પરીક્ષાને લગતી માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. આ સમગ્ર બાબત જણાવતાં પહેલાં વાલીમિત્રોને અરજ છે કે, તેઓ પોતે પણ સમજે અને પોતાના બાળકને પણ સમજાવે કે – “કોઈ પણ પરીક્ષા જિંદગીની આખરી પરીક્ષા હોતી નથી, આ પરીક્ષા પણ અન્ય પરીક્ષા જેવી જ છે અને તે પણ સારી રીતે પાર પડી જ જશે... ” આ પ્રકારનો આત્મવિશ્વાસ બાળકમાં ઉત્પન્ન કરશો અને વિદ્યાર્થીના સાચા માર્ગદર્શક કે પથદર્શક બનશો તેવી અપીલ છે....
〰〰〰〰〰〰〰〰〰〰
हर कामयाबी पर आपका नाम होगा,
आपके हर कदम पर दुनिया का सलाम होगा ।
मुश्किलों का सामना हिम्मत से करना,
उम्मीद है एकदिन वक्त भी आपका गुलाम होगा ।।
〰〰〰〰〰〰〰〰〰〰
વિદ્યાર્થીમિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો
〰〰〰〰〰〰〰〰〰〰
- ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરો.
- મહેનતનો બીજો કોઈ શોર્ટકટ નથી – આ બાબત સમજી અને સ્વીકારી લો.
- આયોજનપૂર્વકની ચોક્કસ દિશામાં કરેલી મહેનત જ સફળતા અપાવશે.
- વિનમ્ર બની તમારામાં રહેલી ઉણપોને દૂર કરો અને તેને દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહો.
- આખું વર્ષ મહેનત કરી છે, તો પરીક્ષાના દિવસો દરમિયાન ખોટા ઉજાગરા ન કરો.
- અનેક પરીક્ષાઓ આપી છે, તો પરીક્ષાનો ખોટો ડર ન રાખો. પરીક્ષા આપો હસતાં... હસતાં...
- છેલ્લા સમયે IMP ક્યાંથી મળશે તેમાં સમય વ્યતિત ન કરતાં પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરો.
- ગોખણપટ્ટી કરવાને બદલે સમજી અને યાદ રાખવાનો પ્રયત્ન કરો.
- શક્ય હોય તો એકાંતમાં મોટેથી વાંચો.
- પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરો, જેથી વધુ યાદ રહેશે અને લખવાની ઝડપ વધશે.
- રિસિપ્ટનું ક્યારેય પણ લેમિનેશન કરાવવું નહીં.
- પરીક્ષામાં મોડા ન પડાય, માંદા ન પડાય, રિસિપ્ટ ખોવાઈ ન જાય તેની તકેદારી રાખો.
- ટાઈમટેબલમાં ગેરસમજ ન થાય તેની કાળજી રાખો.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષા અગાઉ
〰〰〰〰〰〰〰〰〰〰
- ભણવા માટે ટાઈમ ટેબલ બનાવો.
- નોટ્સ, ચાર્ટ, ડાયાગ્રામનું પુનરાવર્તન કરો.
- પાઠયપુસ્તકના સ્વાધ્યાય આધારિત પ્રશ્નોને સૌ પ્રથમ ન્યાય આપો.
- મહત્ત્વના મુદ્દાઓને હાઈટલાઈટ કરીને રાખો અને સતત તેનું પુનરાવર્તન અને મનન કરો.
- રિવીઝન કરતી વખતે દરેક બાબતને પૂરેપૂરી ન વાંચતા મહત્ત્વના મુદ્દાઓ પર નજર ફેરવો.
- સવારના સમયે આછા સૂર્યપ્રકાશમાં બેસીને વાંચવું ફાયદાકારક રહેશે.
- દરેક પ્રકરણને એક કલાકના સમયમાં સેટ કરો, જેમાં 45 મિનિટ વાચોં અને 10 મિનિટનો બ્રેક લો.
- પરીક્ષા સમયે બધું ભૂલી જવાશે તેવો ડર મનમાંથી કાઢી નાંખો, બૅક માઈન્ડમાં બધું સ્ટોર હોય જ છે.
- નજીકના દિવસોમાં નવું વાંચન કરવાને બદલે અગાઉ વાંચન કર્યું હોય તેનું પુનરાવર્તન કરો.
- મોડી રાત સુધી વાંચવાને બદલે વહેલી સવારનું વાંચન યોગ્ય રહેશે.
- પરીક્ષા અગાઉ અને પરીક્ષા વખતે ખાવામાં કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષાના દિવસે...
〰〰〰〰〰〰〰〰〰〰
- પરીક્ષા આપવા જતાં પહેલાં ઈષ્ટદેવ તેમજ વડીલ સભ્યોના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં.
- પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા સ્થળે ઓછામાં ઓછા એક કલાક પહેલાં અને અન્ય દિવસોમાં અડધા કલાક પહેલાં પહોંચવું યોગ્ય રહેશે.
- પરીક્ષા માટે જરૂરી રિસીપ્ટ, પેન, પેન્સિલ, રબર, સ્કૅલ, પારદર્શક પૅડ, પારદર્શક પાણીની બોટલ વગેરે લેવાનું ભૂલશો નહીં.
- રિસીપ્ટની ઝેરોક્ષ કઢાવી ઘરના સભ્યોને માલુમ હોય તેવી જગ્યાએ રાખવી આકસ્મિક પરિસ્થિતિમાં મદદરૂપ બનશે.
〰〰〰〰〰〰〰〰〰〰
વર્ગખંડમાં રાખવાની કાળજી
〰〰〰〰〰〰〰〰〰〰
- પરીક્ષાના આગલા દિવસે પરીક્ષા સ્થળ અને વર્ગખંડની રૂબરૂ મુલાકાત લો, જેથી પરીક્ષાના દિવસે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે દોડા દોડ ન થાય.
- પરીક્ષા ખંડમાં જતાં પહેલાં વૉશરૂમ જઈ આવવું, જેથી પરીક્ષા વખતે ખોટી દોડા-દોડ ન થાય.
- પરીક્ષા આપતાં પહેલાં તમારી બેઠકની આજુ બાજુમાં કોઈપણ પ્રકારના પેપરના ટુકડા કે બૅન્ચ પર કોઈ પણ પ્રકારની લખાણ લખેલું નથી તે ચકાસી લેવું. આ પ્રકારની પરિસ્થિતિમાં તમે સુપરવાઈઝરને આ બાબતે જાણ કરી કરી શકો છો.
- પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં.
- ઉત્તરવહીના મુખ્ય પાના પરની તેમજ OMR જવાબપત્ર પરની માહિતી ખૂબ જ કાળજી અને ચિવટપૂર્વક ભરો. તેમાં ભૂલ ન થાય કે ચેક-ચાક ન થાય તે બાબતે ચોક્કસ રહો.
- પરીક્ષા દરમિયાન ખૂબ જ વિનમ્ર રહો. સુપરવાઈઝર અને અન્ય સ્ટાફ મિત્રો સાથે નમ્રતાપૂર્વકનો વ્યવહાર કરો.
- ચાલુ પરિક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તુરંત જ સુપરવાઈઝરશ્રીને નિઃસંકોચપણે જણાવો.
- બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર લગાવવા બાબતે ચોક્કસ રહો.
- વૉર્નીંગ બૅલ પહેલાં પ્રશ્નપત્ર પૂરું કરવાનો પ્રયત્ન કરો. ત્યાર બાદના સમયમાં સપ્લીમેન્ટરી બાંધી, ઉત્તરવહી પરની વિગતો, લીધેલ સપ્લીમેન્ટરી સાથેનું ટોટલ, તમામ પ્રશ

રવિવાર, 19 મે, 2013

શિક્ષકનું પ્રતીક


ડોકટર અને ઇજનેરની જેમ શિક્ષકનું પણ પ્રતીક તૈયાર કરાયું.

આ પ્રતિકમાં એવું દર્શાવાયુ છે કે એક સ્થાને ઉભેલા શિક્ષક પાસે વિદ્યાર્થી ઘૂંટણ પર નીચેબેસીનેઆગળ નમીને શિક્ષકને માન આપે છે. અને શિક્ષક પણ વિદ્યાર્થી તરફ ઝુકીને જાણે જ્ઞાાનદાન કરે છે.
વડોદરાના વાઘોડીયા રોડ ખાતે વસતા સુભાષભાઇ મકવાણા આણંદની એન.એચ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં અધ્યાપક છે. જ્યારેબગીચાના પાસે આવેલી રાજસ્તંભ સોસાયટીના રહીશ ડો. જિજ્ઞોશ પટેલ,પેટલાદની ઇપ્કોવાલા એજ્યુકેશન કોલેજમાં અધ્યાપક છે.
આ બંન્ને યુવાનોએ મ.સ.યુનિવર્સિટીની એજ્યુકેશન ફેકલ્ટીના પર્વડિન અને હાલ અધ્યાપક ડો. આર.જી. ગોઠારી સાથેના જીવંત સંપર્કને કારણે શિક્ષક અને શિક્ષણ વિશેની નવીનવી સંકલ્પનાઓ વિશે વિચારતા થયા.
તેમણે શિક્ષક વ્યવસાયને અનુકૂળ ગણાય તેવા પ્રતીક વિશે વિચારવાનું શરૃ કર્યું. ડોક્ટર કે એન્જિનિયર કે સીએ પોતાના પ્રતિકો ધરાવે છે તેમ શિક્ષકને પણ હોવું જોઇએ કારણ કે ડોક્ટર કે એન્જિનિયરનું ઘડતર તો છેવટે શિક્ષક જ કરે છે. તેવી તેમની માન્યતા હતી.
અનેક અક્ષરોનેપ્રતિકોને જાતજાતના આકારો આપ્યા પછી તેમણે શિક્ષકના પવિત્ર વ્યવસાય અને શિક્ષકનીઉમદા કામગીરીને રજુ કરીશકે તેવું પ્રતિક તેમણે તૈયાર કર્યું. તેમણે ટીચરના સ્પેલીંગનાપ્રશન અક્ષર ટી અને અંતિમ અક્ષર આરને સ્વીકારીને ટીચર શબ્દને ્િ એમ ટુંકાક્ષરી બનાવ્યો. અને બંનેને કર્સીવ સ્કિપ્ટમાં રૃપાંત કરી સમગ્ર કન્સેપ્ટને ચિત્રમાં ઉતાર્યો.
પ્રતિકના રચયિતા બંને અધ્યાપકોએશિક્ષકના પ્રતિકમાં જ્ઞાાન દર્શાવવા પીળા રંગનો અવકાશ અને પવિત્રતા દર્સાવવા સફેદ રંગનો અને આકાશ - પૃથ્વીની વિશાળતા દર્શાવતા વાદળી રંગનો અત્યંત સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો છે.
બન્ને અધ્યાપકો ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ટીચર એજ્યુકેશનના ઉપક્રમે હોંગકોંગ ખાતે તા.૨૭ થી ૩૧ મે દરમિયાન ટીચર એજ્યુકેશન મિટીંગ ધ નિડસ ઓફ ન્યુ જનરેશન વિષયના સંદર્ભમાં યોજાનાર વૈશ્વિક સેમિનારમાં પોતાની આ સંકલ્પના રજૂ કરશે.
તેમણે સ્ટ્રેન્થનીંગ આઈડેન્ટીટીઓફ ટિચર ઈન ધ વર્લ્ડ થુ્ર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ટિચર સિમ્બોલ - એ બાબતને જ પોતાના વિષયતરીકે પસંદ કર્યો છે. જો આ સિમ્બોલને આ મિટીંગમાં માન્યતા મળશે. તો શિક્ષકનું આ પ્રતીક ડોક્ટરના પ્રતીકની જેમ આંતરરાષ્ટ્રીય સ્વરૃપ ધારણ કરશેઅને તેનો યક્ષ વડોદરાના બે તજજ્ઞા અધ્યાપકોને ફાળે જશે.ડોકટર અને ઇજનેરની જેમ શિક્ષકનું પણ પ્રતીક તૈયાર કરાયું.

આ પ્રતિકમાં એવું દર્શાવાયુ છે કે એક સ્થાને ઉભેલા શિક્ષક પાસે વિદ્યાર્થી ઘૂંટણ પર નીચેબેસીનેઆગળ નમીને શિક્ષકને માન આપે છે. અને શિક્ષક પણ વિદ્યાર્થી તરફ ઝુકીને જાણે જ્ઞાાનદાન કરે છે.
વડોદરાના વાઘોડીયા રોડ ખાતે વસતા સુભાષભાઇ મકવાણા આણંદની એન.એચ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં અધ્યાપક છે. જ્યારેબગીચાના પાસે આવેલી રાજસ્તંભ સોસાયટીના રહીશ ડો. જિજ્ઞોશ પટેલ,પેટલાદની ઇપ્કોવાલા એજ્યુકેશન કોલેજમાં અધ્યાપક છે.
આ બંન્ને યુવાનોએ મ.સ.યુનિવર્સિટીની એજ્યુકેશન ફેકલ્ટીના પર્વડિન અને હાલ અધ્યાપક ડો. આર.જી. ગોઠારી સાથેના જીવંત સંપર્કને કારણે શિક્ષક અને શિક્ષણ વિશેની નવીનવી સંકલ્પનાઓ વિશે વિચારતા થયા.
તેમણે શિક્ષક વ્યવસાયને અનુકૂળ ગણાય તેવા પ્રતીક વિશે વિચારવાનું શરૃ કર્યું. ડોક્ટર કે એન્જિનિયર કે સીએ પોતાના પ્રતિકો ધરાવે છે તેમ શિક્ષકને પણ હોવું જોઇએ કારણ કે ડોક્ટર કે એન્જિનિયરનું ઘડતર તો છેવટે શિક્ષક જ કરે છે. તેવી તેમની માન્યતા હતી.
અનેક અક્ષરોનેપ્રતિકોને જાતજાતના આકારો આપ્યા પછી તેમણે શિક્ષકના પવિત્ર વ્યવસાય અને શિક્ષકનીઉમદા કામગીરીને રજુ કરીશકે તેવું પ્રતિક તેમણે તૈયાર કર્યું. તેમણે ટીચરના સ્પેલીંગનાપ્રશન અક્ષર ટી અને અંતિમ અક્ષર આરને સ્વીકારીને ટીચર શબ્દને ્િ એમ ટુંકાક્ષરી બનાવ્યો. અને બંનેને કર્સીવ સ્કિપ્ટમાં રૃપાંત કરી સમગ્ર કન્સેપ્ટને ચિત્રમાં ઉતાર્યો.
પ્રતિકના રચયિતા બંને અધ્યાપકોએશિક્ષકના પ્રતિકમાં જ્ઞાાન દર્શાવવા પીળા રંગનો અવકાશ અને પવિત્રતા દર્સાવવા સફેદ રંગનો અને આકાશ - પૃથ્વીની વિશાળતા દર્શાવતા વાદળી રંગનો અત્યંત સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો છે.
બન્ને અધ્યાપકો ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ટીચર એજ્યુકેશનના ઉપક્રમે હોંગકોંગ ખાતે તા.૨૭ થી ૩૧ મે દરમિયાન ટીચર એજ્યુકેશન મિટીંગ ધ નિડસ ઓફ ન્યુ જનરેશન વિષયના સંદર્ભમાં યોજાનાર વૈશ્વિક સેમિનારમાં પોતાની આ સંકલ્પના રજૂ કરશે.
તેમણે સ્ટ્રેન્થનીંગ આઈડેન્ટીટીઓફ ટિચર ઈન ધ વર્લ્ડ થુ્ર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ટિચર સિમ્બોલ - એ બાબતને જ પોતાના વિષયતરીકે પસંદ કર્યો છે. જો આ સિમ્બોલને આ મિટીંગમાં માન્યતા મળશે. તો શિક્ષકનું આ પ્રતીક ડોક્ટરના પ્રતીકની જેમ આંતરરાષ્ટ્રીય સ્વરૃપ ધારણ કરશેઅને તેનો યક્ષ વડોદરાના બે તજજ્ઞા અધ્યાપકોને ફાળે જશે.

saty ghatna

મારા ગામ મગરોડામા એક કરિયાણાની દુકાને ઊભો છુ અને ત્યા એક આઠ - નવ વર્ષનુ બાળક હાથમા થેલી લઇને આવે છે...દુકાનદારને કહે છે કે, ''ગોવિદભા, મારી પાસે બે કિલો જેટલા એરંડા (દિવેલા) છે , શુ ભાવે લેશો?" ''80 રુપિયે કિલો" દુકાનદારનો જવાબ. તરત જ એરંડાનુ વજન થાય છે... 1 કિલો અને 800 ગ્રામ... મને નવાઇ લાગે છે કે હાથમાના વજનનો આ અન્દાજ આ બાળક ક્યાથી શીખ્યુ હશે? તમારી સૌની જાણ માટે કે આ બાળક ખેડૂતનુ નહોતુ. પછાત લોકો પણ જેને પછાત ગણે છે એવી સ્થિતિમાથી આ બાળક આવ્તુ હતુ. એટલે મે વિચાર્યુ કે ગરીબીએ આપેલા અનુભવોમાથી એ વજનનો અન્દાજ શીખ્યુ હશે. પણ વાત આટલે અટકતી નથી.. ખરી નવાઇ હવે આવે છે. એરંડાનુ વજન થયુ ત્યા એ બાળક બોલ્યુ, ''ભા, ગોળમોળ (Round figure) દોઢસો રુપિયા આપી દોને ? છ રુપિયામા શુ બાકી રાખશો???" My.. God....!, આ બાળકે થોડીક સેકંડોમા મૌખિક રીતે ગણતરી કરી લીધી કે મારા 1 કિલો 800 ગ્રામ એરંડાની કુલ કિમ્મત 144 રુપિયા થાય !! બસ, ગબ્બર ખુશ હો ગયા.. પૂછ્યુ, ''બેટા, કયા ધોરણમા ભણે છે? (શાળા તો ગામમા એક જ હોય, એટલે એ પૂછવાનુ ન હોય)'' ''ત્રીજા ધોરણમા" ટૂંકો જવાબ... એની સાથેનુ બાળક બોલ્યુ, ''કાકા, આ તો કો'ક કો'ક દહાડો (ક્યારેક )જ નિશાળે જાય છે.'' બીજુ આશ્ચર્ય મારા માટે...! ખેર, મનમા વિચારુ છુ કે આ સ્કીલ કેવી રીતે આવી હશે? .... પરત મહોલ્લામા આવુ છુ... ફળિયામા રમતા ચાર બાળકોને ઉપરવાળી ઘટનાની રકમ બનાવી દાખલો લખાવુ છુ... આ ચાર બાળકો પૈકી બે એવા હતા જે ચોથા ધોરણની પરીક્ષા પાસ કરી ચૂક્યા હતા, એમાનુ એક ગામની શાળામા જ (પેલા બાળક્ની શાળામા જ ) ભણે છે અને બીજુ ગાન્ધીનગરની એક સેલ્ફ ફાઇનાંસ શાળામા વર્ષે 12-13 હજાર રુપિયા ફી ભરીને ભણે છે... બીજા બે બાલકો પૈકી એક ત્રીજુ પાસ છે (મારા ગામની નજીક આવેલા શહેરની ખાનગી શાળામા) અને બીજુ તો પાંચમુ પાસ છે (એ જ ગામની શાળામા).. Any way, આ બાળકો પૈકી પાંચમુ પાસ બાળક સૌ પહેલા આ દાખલો ગણી શક્યુ- લગભગ 10 મિનિટમા... બાકીના પૈકી એક પણ બાળક 15 મિનિટ સુધી આ દાખલો ગણી શકતુ નથી.. હુ શીખવુ છુ, બીજા બે ત્રણ સહેલા ઉદાહરણ આપુ છુ પછી અડધા કલાકે ઠેકાણુ પડે છે એ દાખલાનુ.... પેલા ગરીબ-મજૂર બાળકે આપેલો આનન્દ ઓસરી જાય છે... વિચારુ છુ, 'શુ થઇ રહ્યુ છે આપણી સરકારી અને ખાનગી શાળાઓમા...??' અને હા, વારે વારે સરકરી શાળાની ટીકા કરતા વાલીઓ અને સરકારી શાળાના નબળા પરિણામો માટે શાળામા ભણતા બાળકોના સામાજિક આર્થિક પાસાનુ બહાનુ આગળ ધરતા શિક્ષકો અને અધિકરીઓના અસંખ્ય ચહેરાઓ મારી નજર સામે આવે છે...એમા એક ચહેરો તો મારો પણ છે...!!

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

ભગવાન શું નહીં પૂછે – શું પૂછશે ?


[1] ભગવાન એ નહીં પૂછે કે આપણે કઈ બ્રાન્ડની કાર વાપરતા હતા,

પરંતુ એ જરૂર પૂછશે કે કેટલા જરૂરિયાતવાળા અને અશક્ત લોકોને એમના ઘર સુધી પહોંચવામાં આપણે મદદ કરી હતી !

[2] ભગવાન એ નહીં પૂછે કે આપણું ઘર કેટલા સ્ક્વેરફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે,

પરંતુ એ જરૂર પૂછશે કે સાચા દિલથી એ ઘરમાં આપણે કેટલા લોકોને આવકાર્યા હતા.

[3] ભગવાન એ નહીં પૂછે કે આપણી પાસે કેટલા અને કેવાં કપડાં છે,

પણ એ જરૂર પૂછશે કે કેટલા લોકોના ઉઘાડા શરીર આપણે ઢાંકી શક્યા.

[4] આપણા સામાજિક દરજ્જા અંગે પૂછપરછ કરવાની એ જરાપણ દરકાર નહીં કરે,

હા ! આપણા નૈતિક દરજ્જા અંગે એ બરાબર પૂછશે !

[5] આપણી પાસે કેટલી સંપત્તિ હતી એ અંગે જાણવામાં એને રસ નહીં હોય,

પરંતુ આપણે સંપત્તિના કે સંપત્તિ આપણી ગુલામ હતી એ અંગે એ જરૂર પૂછશે.

[6] આપણો પગારનો ગ્રેડ કેટલો ઊંચો હતો એ અંગે ભગવાન કશું જ નહીં પૂછે,

પણ એને માટે અને એટલો ગ્રેડ હોવા છતાં આપણે કેટલું નીચે ઊતરવું પડ્યું હતું એ તો જરૂર પૂછશે.

[7] આપણને નોકરીમાં, સમાજમાં, સત્તામાં કે અન્ય સંગઠનોમાં કેટલી બઢતી મળી એની સાથે એને કંઈ જ લેવાદેવા નથી,

પરંતુ બીજા લોકોને આગળ આવવા દેવામાં આપણે કેટલી મદદ કરી કે શું કર્યું એની એ સવિસ્તાર નોંધ માગશે. (જોકે એની પાસે એ નોંધ હશે જ !)

[8] આપણે કલાસ વનના કે કલાસ ફોરના કર્મચારી હતા એ અંગે એ કંઈ જ નહીં પૂછે,

પરંતુ આપણને સોંપાયેલ જે કંઈ કામ હોય તે આપણે નિષ્ઠાપૂર્વક કર્યું હતું કે નહીં એની એ પાક્કી પૂછપરછ કરશે…

દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ......

દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ...... દીકરો એ બાપનું રૂપ છે તો દીકરી એ બાપનું સ્વરૂપ છે. દીકરો બાપ પાસે અપેક્ષા રાખે-ક્યારેક હુકમ પણ કરે,જ્યારે દીકરી બાપને મદદ કરે. દીકરી એટલે હૂંફની ગુફા કે જેમાં બેસીને બાપ રાહતનો દમ ખેંચી શકે છે. દીકરો પણ બાપને મદદરૂપ થાય છે, પણ આ મદદરૂપ થવાના ઘણાં કારણો છે. જેમ કે દીકરાની ફરજ, દીકરા અને બાપે સાથે મળીને આર્થિક ઉપાર્જન કરીને ઘર ચલાવવું, કુટુંબ કે સમાજના સભ્યો દીકરાને ટોણો ન મારે, સમાજમાં સારા દેખાવા માટે વગેરે. પણ દીકરી બાપને મદદરૂપ થાય છે તેમાં ઉપરનું એક પણ કારણ નથી. દીકરીને બાપ પાસે કોઈ અપેક્ષા હોતી નથી. સાસરે ગયા પછી બાપને મદદરૂપ થવાની દીકરીની ફરજ નથી કે નથી સમાજ કોઈ ટોણો મારવાનો. આમ છતાં સમાજમાં એવા હજારો કુટુંબ જોવા મળે છે કે, જેમાં સાસરે રહીને પણ દીકરી બાપનો હાથ પકડતી હોય, બાપને મદદરૂપ થતી હોય. આ બાબત જ દીકરીની બાપ પ્રત્યેના પ્રેમની નિશાની છે. દીકરી સાસરે ગયા પહેલાં કે પછી પણ બાપનો સતત વિચાર કરતી હોય છે. તેની મા-બાપ સાથેની લાગણી એવી તો જોડાઈ ગઈ હોય છે કે, દીકરા વગરના બાપને કે બાપથી જુદા રહેતા દીકરાની ગેરહાજરીમાં જરૂર પડે કાંધ પણ આપે છે. જમાનો બદલાય છે, પણ દીકરીનો બાપ પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જ રહે છે. આવી દીકરી ત્યારે જ જન્મતી હોય છે કે જ્યારે તમે પરભવમાં વધુ પ્રમાણમાં પુણ્ય કર્યાં હોય અને આ ભવમાં પણ તેનો સિલસિલો ચાલુ રાખ્યો હોય. ‘દીકરી એટલે સવાઈ મા.’ માના તમામ સ્વરૂપ દીકરીમાં છે. ઉપરાંત મા દીકરાનો ટેકો લેવા પ્રેમ કરે છે, જ્યારે દીકરી તો ટેકો બનવા પ્રેમ કરે છે. માટે જ દીકરીને સવાઈ મા કહેવામાં સહેજ પણ ખોટું નથી. કહેવત છે કે, ‘મા વિના સૂનો સંસાર’, તો કહી શકાય કે, ‘દીકરી વિના અધૂરો સંસાર.’ એટલે કે, જે બાપને માત્ર દીકરો જ છે, તેનું જીવન અધૂરું જ ગણાય. સંસારમાં રહીને સાચો પ્રેમ પારખવો હોય અને ચાખવો હોય તો દીકરીના બાપ બનવું પડે. આવા દીકરીના બાપ નસીબદાર વ્યક્તિ જ બની શકે. જેને પોતાની દીકરી નથી તે બાપે આ સંસારમાં રહીને કશુંક ખૂબ જ મોટું ગુમાવ્યું છે, પણ આ વાતનો ખ્યાલ દીકરી વિહોણા કમનસીબ બાપને નહીં આવે. તેનો અનુભવ કરવા સદ્નસીબ હોવું જોઈએ અને સદ્નસીબ બનવા દીકરીના બાપ બનવું પડે ! દીકરીને ઘડવામાં માનો ફાળો અનન્ય છે, તો બાપને ઘડવામાં દીકરીનો ફાળો અનન્ય છે. આમ જોતાં... મા વિનાની દીકરી અધૂરી છે, તો દીકરી વિનાનો બાપ અધૂરો છે. રાજા દશરથ આ રીતે અધૂરા હતા. જો તેમને એક દીકરી હોત તો રામને વનમાં જવું ન પડયું હોત. દીકરીએ દશરથને ખખડાવીને કહ્યું હોત કે, રામને વનમાં જવાની જરૂર નથી અને દશરથ રાજાની હિંમત હતી કે દીકરીના વેણને ઉથાપે ? અરે, દીકરી એ તો દીકરી છે. દુનિયાના કોઈ પણ બાપને ખખડાવવાનો અને ધાર્યું કરાવવાનો હક માત્ર દીકરીને જ છે. આ જગતની એક પણ એવી દીકરી નહીં હોય કે, જેણે તેના બાપને સાચવ્યો ન હોય. પોતે ઉંમરમાં નાની હોય છે, પણ સમજમાં મોટી હોય છે. પોતે ભૂખી રહીને બાપને પહેલાં ખવડાવનાર આ દીકરી પાછળ લાખો રૂપિયાનો કરિયાવર પણ નાનો જ પડે. પોતાની મનગમતી વાનગી ખાવા બેસનાર દીકરી સૌ પહેલાં માને પૂછે છે કે, પપ્પા માટે આ વાનગી રાખી છે ને ? રાત્રે પોતે પથારીમાં સૂઈ જઈને બાપને પલંગ કે ખાટલામાં સૂવાડતી આ દીકરીનો ઓરતો કયા બાપને ન આવે ? અડધી રાત્રે ઊઠીને પણ પપ્પા ઓઢીને સૂઈ ગયા છે કે કેમ તેની ખાતરી કરતાં કોઈ દીકરીની ઊંઘ ઊડી ગઈ હોય તેવું આજદિન સુધી સાંભળ્યું નથી. દીકરી પોતાના ખર્ચમાં કાપ મૂકીને બાપની આવકમાં ઘર ચલાવવામાં માને મદદ કરતી હોય છે, જેથી બાપ હળવાશથી સૂઈ જાય. બાપના દરેક સવાલનો તેની પાસે એક જ જવાબ હોય છે, “ચાલશે, ભાવશે અને ફાવશે.” ક્યારેય કોઈ માગણી નહીં,માત્ર લાગણી જ. સતત લાગણીથી નીતરતી દીકરી સાથે એક જ થાળીમાં ખાવાનું દરેક બાપના નસીબમાં નથી હોતું. જો દીકરી મોટી થયા પછી તેની સાથે એક થાળીમાં ખાય તો તે સંભારણું બની જતું હોય છે. બાપ જ્યાં વાપરવાનું કહેતો હોય છે, ત્યાં દીકરી બચાવવાનું કહેતી હોય છે. બાપના ખર્ચ પર સૌથી વધારે કાપ મૂકવાની શરૂઆત દીકરી તરફથી જ થતી હોય છે અને બાપ માટે કોઈ વસ્તુ લાવવાની શરૂઆત પણ દીકરી તરફથી જ થતી હોય છે. બીમારીમાં સપડાયેલ બાપની ચાકરી માટે જ દીકરીનું સર્જન થયું હશે તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી જ. એક દીકરા માટે મા જેટલું કરી શકે તેના કરતાં પણ ઓછા સમયમાં દીકરી વધુ કરી જાય છે. મા સાથે દીકરો સાઠ-સિત્તેર વર્ષ રહે છે, જ્યારે બાપ સાથે દીકરી એકવીસથી પચીસ વર્ષ રહે છે. છતાં માના મનમાં દીકરા માટે જેટલા આદર, ભાવના, લાગણી હોય છે તેટલી જ કે તેનાથી પણ વધારે માંડ પચીસ વર્ષ રહેતી દીકરીના મનમાં બાપ માટે હોય છે. તે જ દીકરીની ખરી ખાનદાની છે. બાપને સાચવવામાં અવ્વલ રહેતી દીકરી જરૂર પડે તો બાપને ખખડાવવામાં પણ અવ્વલ રહે છે. કોઈ પણ કુટુંબમાં બાપને ખખડાવવાનો અધિકાર મોટાભાગે દીકરી પાસે જ હોય છે. ચૂપ થાઓ તેમ બાપને ઘરમાં માત્ર દીકરી જ કહી શકતી હોય છે. છતાં બાપની તાકાત નથી કે, તે દીકરીની સામે ગુસ્સાથી બોલી શકે. આ બાબત જ દીકરીને સવાઈ કરે છે. આ દુનિયાનો જે બાપ દીકરીથી ખખડયો ન હોય તેણે ઘણું ગુમાવ્યું છે. એટલું જ નહીં, આવા બાપને લાગણી એટલે શું તે અનુભવવામાં સમય લાગશે. ઓફિસમાં સેવકો કે કર્મચારીને ખખડાવતો બાપ નાની છોકરી સામે ચૂપ કેમ રહે છે ? આટલું જ વિચારજો અને જવાબ શોધજો એટલે દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ કેટલો ઊંડો હોય છે તેનું જ્ઞાાન આવશે. અને હા... જો અનુભવ લેવો હોય તો દીકરીના બાપ બનવું પડે અને દીકરીથી ખખડવું પડે. ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડવા નથી દેતી તે તેની વિશેષતા છે. પોતાના બાપ વિરુદ્ધનું એક પણ વાક્ય સાંભળવા દીકરી ક્યારેય તૈયાર હોતી નથી. તેના મતે તો મારો બાપ જ સાચો અને સર્વશ્રેષ્ઠ. સુખી બાપની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય ? જવાબ સરળ જ છે. જેની દીકરી સુખી તે બાપ સુખી. તેનાથી ઊલટું પણ એટલું જ સાચું છે કે, જેની દીકરી દુઃખી તેનો કરોડપતિ બાપ પણ દુઃખી. દીકરી બાપને ઘરે-પિયરમાં હોય ત્યારે એક કહેવત છે : “દીકરી એટલે પારકી થાપણ.” આ કહેવત પાછળનો ભાવાર્થ આપ સૌ જાણો જ છો. આ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે કેટલાંક સાસરિયાં તેને ‘પારકી જણી’ પણ કહેતાં હોય છે. આમ દીકરી મારી છે એમ કહેનાર કોઈ જ નહીં. કેવો લુચ્ચો સમાજ ! હકીકતમાં દીકરી એ તો બાપનો શ્વાસ અને વિશ્વાસ છે. બાપ દીકરી પર જેટલો વિશ્વાસ મૂકે છે તેટલો વિશ્વાસ પોતાના દીકરા કે પોતાની પત્ની પર નથી મૂકી શકતો. દીકરી વગરના કમનસીબ બાપને દસ મિનિટ માટે સદ્નસીબ બનવા માટેની એક ચાવી... કોઈની પણ દીકરીને સાસરે વળાવવામાં આવતી હોય ત્યારે કાર કે સ્કૂટર બાજુમાં ઊભું રાખીને પણ તે દૃશ્ય જોજો. તમે આપેલી દસ મિનિટ જ નહીં, પણ તમારા દસ દિવસ સુધરી જશે. રડીને પણ હળવા થઈ શકાય ? આનંદિત થઈ શકાય ? હા... સાસરે જતી કોઈની પણ દીકરીને જોવાનો,આંસુ સાથે આનંદનો પ્રસંગ ! કેવો અમૂલ્ય પ્રસંગ. એક જ બોલથી બાપની બોલતી બંધ કરી દેતી દીકરીએ હવે સતત બીજાના જ બોલ મૌન બનીને સાંભળવાના છે. છતાં આનંદિત થઈને રડતો બાપ દીકરીને સાસરે વળાવે ત્યારનો પ્રસંગ રામાયણ કે ગીતા કરતાં સહેજ પણ ઓછો પવિત્ર નથી. આવા પવિત્ર પ્રસંગે આંસુરૂપે પડતું દરેક ટીપું ગંગાના પવિત્ર જળ જેટલું જ પવિત્ર ગણાય. આવું દરેક આંસુ અમૃત જળ કહેવાય. જેને વહેવડાવવાનો મોકો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે. કેટલાક વિધાનો વિચારજો... કોઈ દીકરીએ બાપ પાસે માગ્યું નથી અને કોઈ બાપે દીકરીને ઓછું આપ્યું નથી. દીકરી ઘર છોડીને જાય ત્યારે થાપા કરે છે, કારણ તે જાણે છે બાપનો દીકરો મિલકત માટે અંગૂઠો કરશે અને મિલકત લેશે. જ્યારે દીકરી કહે છે કે, ભાઈ માત્ર અંગૂઠો જ નહીં, મારા દસેદસ આંગળાની છાપ આપું છું કે મારે મિલકત જોઈતી નથી. દીકરીને કારણે બાપ દેવાદાર બન્યો હોય તેવા ઉદાહરણ ભાગ્યે જ હશે, પણ દીકરાને કારણે ????? દીકરી એ તો બાપનું આરોગ્ય છે. માટે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે,
દીકરાને નહીં.
(કેળવણીના કિનારે)- ડો. અશોક પટેલ

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

જિંદગી

લગાતાર મળતું ભલે રેત જેવું, હજી ઝાંઝવાંમાં ય છે ભેજ જેવું,
કરે શું સમયને સમયથી અલગ એ, હશે જ્યાં સુધી આપણું એક જેવું.
-ધૂની માંડલિયા

કોઈ માણસ એવો નહીં હોય, જે જિંદગીમાં ક્યારેય હતાશ, નિરાશ કે ઉદાસ ન થયો હોય. દરેકની જિંદગીમાં નબળી અને અઘરી પરિસ્થિતિઓ આવતી જ રહે છે. જિંદગીમાં અનેક વખતે એવું બને છે જે આપણને હચમચાવી અને ડગમગાવી નાખે છે. ભીનું કાપડ સુકાતું હોય છે પણ તેને પાણીની ડોલમાંથી બહાર કાઢીને દોરી પર સૂકવવા મૂકવું પડે છે. ડોલમાં જ પડયું રહે તો એ ક્યારેય સુકાય નહીં. કપડું સુકાવવા માટે આપણે ડોલમાં ભરાયેલું પાણી સુકાવાની રાહ ન જોઈ શકીએ. કંઈક એવું જ આપણી હતાશાનું છે. હતાશા આપણી અંદર હોય છે, તેને આપણે જ બહાર કાઢી ખંખેરી નાખવી પડે છે.

દરેક માણસને પોતાની હતાશા મોટી અને આકરી લાગે છે. દરેકને એમાંથી બહાર પણ નીકળવું હોય છે. કોઈ વહેલા કે કોઈ થોડા મોડા તેમાંથી બહાર નીકળી જ જાય છે. હતાશા જો લાંબી ચાલે તો જોખમી બની જાય છે. ડિપ્રેશન અને આત્મહત્યાનું કારણ નાની મોટી હતાશા જ હોય છે. આપણે હાઇ-વે પર જતાં હોઈએ ત્યારે બોર્ડ આવે છે કે સાવધાન, આગળ ખતરો છે. આ બોર્ડ વાંચીને આપણે સાવધાન થઈ જઈએ છીએ. હતાશા આપણી જિંદગીમાં બોર્ડ મારીને આવતી નથી, એને તો આપણે જ પકડી પાડવાની અને સમજી લેવાની જરૂર હોય છે. જો સમયસર સાવધાન ન થઈએ તો અકસ્માત નક્કી હોય છે.

દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવા જેવી છે કે કોઈ હતાશા કાયમી હોતી નથી. હતાશા જવા માટે જ આવી હોય છે. જો તમે એને નહીં છોડો તો એ તમને પકડી રાખશે. આપણાં શરીર ઉપર કોઈ જીવડું ચોંટી જાય ત્યારે આપણે કેવો ઝાટકો મારીને તેને ખંખેરી નાખીએ છીએ? આપણને ખબર હોય છે કે જો આપણે આ જીવડાને ઉખેડીને ફેંકી નહીં દઈએ તો એ આપણને કરડી જશે. હતાશા એ એક એવું જીવડું છે જે દેખાતું નથી, છતાં તે આપણી આખી જાતનો કબજો લઈ લે છે, પતી ગયું હવે હું કંઈ જ નહીં કરી શકું, મારી કલ્પનાશક્તિ ખતમ થઈ ગઈ છે, મને કોઈ સારા અને ક્રિએટિવ વિચારો જ આવતાં નથી, બધું જ અંધકારમય બની ગયું છે. જિંદગીમાં હવે જીવવા જેવું કંઈ જ નથી... આ અને આવા વિચારો આવવા લાગે છે. જો તમે આવા વિચારોને ન ખંખેરો તો એ ઘૂંટાતા જાય છે. નિરાશા ઉપર એક પછી એક પડ ચડતું જાય છે અને એક તબક્કો એવો આવે છે કે તમે એ જ કોચલામાં ગૂંગળાઈ જાવ છો. પહેલું જ પડ જો તમે ઉખેડી લો તો આરામથી બહાર નીકળી શકાય છે.

માણસ હતાશ કે ઉદાસ થાય ત્યારે તેને ખબર હોય છે કે હું મજામાં નથી, મને ક્યાંય ગમતું નથી. આવા સમયમાં એ કાં તો સાવ ચૂપ થઈ જાય છે અને કાં તો એકદમ ગુસ્સાવાળો બની જાય છે. ઘણા માણસોને તો ખબર પણ હોય છે કે પોતે ડિપ્રેશનમાં છે. જો એ ખબર હોય તો પછી એ માટે મનને તૈયાર કરો કે મારે આ હતાશામાંથી બહાર નીકળવું છે.

માણસ હતાશ થાય ત્યારે એને આપણે કોઈ ડાહ્યી વ્યક્તિ પાસે લઈ જઈએ છીએ. ઘણી વખત પુસ્તકો દ્વારા પ્રેરણા પૂરી પાડવાનો પ્રયાસ કરીએ છીએ. એ બધી જ વાત સાચી અને સારી છે. પણ સૌથી મહત્ત્વની વાત તો એ જ છે કે અંતે તો માણસે પોતે જ પોતાની હતાશામાંથી બહાર આવવું પડે છે. પાઈપમાં કચરો ભરાઈ ગયો હોય તો સળિયાથી આપણે તેને ધક્કો મારીએ છીએ, એવું જ બધું બહારના પ્રયાસોથી થાય છે. અંદરથી તો માણસે પોતાની જાતે જ બહાર નીકળવું પડે છે. કોઈ પણ ફિલોસોફર હોય એ એવી વાત કહે છે કે આ રીતે સુખી થવાય, આ રીતે વિકાસ કરી શકાય, પણ જો તમારી તૈયારી ન હોય તો તમને કોઈ સુખી ન કરી શકે. સૌથી પહેલાં તો આપણે જ નક્કી કરવાનું હોય છે કે મારે સુખી અને સાજા થવું છે.

હા, દરેક સાથ, દરેક શબ્દ, દરેક સ્પર્શ, દરેક સંવેદના, દરેક હૂંફ બહુ અસર કરે છે. પોતાની વ્યક્તિ આપણી હતાશા દૂર કરવા દરેક પ્રયત્ન કરી જુએ છે પણ તેની અસર જ ન થાય તો? દરેક શબ્દ માત્ર કાનથી જ પછડાઈને પાછો ફરી જાય તો? પોતાની વ્યક્તિનો સ્પર્શ આપણને સ્પર્શે જ નહીં તો? પથ્થરને ચુંબન કરવાથી પથ્થર સળવળતો નથી. આપણે સૌથી પહેલાં આપણામાં જામી ગયેલા પથ્થરને તોડી નાખવો પડે છે.

સારા સમયમાં તો દરેક માણસ સશક્ત અને મજબૂત હોય છે. માણસનું મનોબળ કેવું છે એની કસોટી ત્યારે જ થાય છે જ્યારે એ ખરાબ સમય, સંજોગો અને સ્થિતિમાંથી બહાર નીકળી બતાવે. યાદ રાખો કે હતાશા ક્યારેક તો ત્રાટકવાની જ છે અને આપણે તેને હાંકી કાઢવાની જ છે. કોઈ પણ મહાન માણસનું જીવન જોઈ લ્યો એ ક્યારેક તો હતાશ થયા જ હશે, એ મહાન એટલા માટે જ થયા કે તેણે હતાશાને નિષ્ફળતામાં તબદિલ થવા ન દીધી. વર્લ્ડના બેસ્ટ પ્લેયરમાં બાસ્કેટબોલ ખેલાડી માઈકલ જોર્ડનની ગણના થાય છે. માઈકલ જોર્ડન હાઈસ્કૂલમાં હતા ત્યારે તેને બાસ્કેટબોલની ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ટીમમાં તેને સામેલ નથી કરાયા તેની જ્યારે માઈકલને ખબર પડી ત્યારે એ દોડીને ઘરે આવ્યા. પોતાના રૂમમાં પુરાઈને એ ધ્રૂસકે ધ્રૂસકે રડયા હતા. રડવાનું પૂરું થયું પછી તેણે નક્કી કર્યું કે હું આમાથી બહાર આવીશ. જો માઈકલ જોર્ડને રડયા જ રાખ્યું હોત તો?

માણસ ક્યારે હતાશ થાય છે? નિષ્ફળતા મળે ત્યારે, નોકરી ગુમાવે ત્યારે, નોકરીમાં ઠપકો મળે કે નીચી પાયરીએ ઉતારી મુકાય ત્યારે, ધંધામાં ખોટ જાય ત્યારે કે ભણવામાં નાપાસ થાય ત્યારે માણસ હતાશ થાય છે. જોકે સૌથી મોટી હતાશા સંબંધો તૂટે કે કોઈનો હાથ છૂટે ત્યારે થાય છે. જેને પોતાની વ્યક્તિ સમજતાં હોઈએ અને જેને જિંદગીની સૌથી મોટી અમાનત સમજતા હોઈએ એ વ્યક્તિ જ્યારે ડીચ કરે ત્યારે સૌથી અઘરી પરિસ્થિતિ હોય છે. આવા સમયે પણ એક વાત યાદ રાખો કે કોઈ વ્યક્તિ જિંદગીની અંતિમ વ્યક્તિ હોતી નથી. કોઈ સંબંધ પૂરો થવાથી જિંદગીનું પૂર્ણવિરામ આવી જતું નથી. આવું થાય ત્યારે વિચારો કે આ પણ એક દૌર છે જે પસાર થઈ જવાનો છે. હા, એ સહેલું નથી, સહેલું હોત તો આટલું આકરું થોડું લાગત? જિંદગીમાં બધું જ પૂરું થઈ ગયું હોય એવું લાગવા માંડે છે. કોઈ વાતમાં મજા નથી આવતી. જે વસ્તુ કે વાતાવરણથી આપણે નાચી ઊઠતા હતા એની જ કોઈ અસર થતી નથી. જોકે એ સમય પણ પસાર થઈ જવાનો હોય છે. આપણે આપણી જાતને બસ થોડો સમય સંભાળી રાખવાની હોય છે.

બ્રેકઅપ , ડિવોર્સ, દગો, વિશ્વાસઘાત જેવું કંઈ થાય ત્યારે માણસ તૂટી જાય છે. આ બધાની અસર તો થવાની જ છે. એ અસર જ આપણને સમજાવે છે કે આપણે માણસ છીએ. આપણને સુખ સ્પર્શે છે તો દુઃખ પણ અસર કરે જ છે. દુઃખ પણ આપણી સંવેદનાનો જ એક ભાગ છે. પણ આવા દુઃખને પંપાળે રાખવાનું પરિણામ જીવલેણ હોય છે. માણસે આખરે તો જીવવાનું હોય છે. આપણે ઘણી વખત એક વ્યક્તિને ખૂબ જ મહત્ત્વની સમજી લઈએ છીએ અને એ દૂર થાય ત્યારે તૂટી જઈએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી જિંદગી સાથે એના સિવાયની અનેક જિંદગીઓ પણ જોડાયેલી હોય છે.

જિંદગીને માત્ર મર્યાદિત નજરથી ન જુઓ, કોઈ પર્વત ઝરણાંને રોકી નથી શકતો. એવી જ રીતે કોઈ હતાશા જિંદગીને અટકાવી શકતી નથી. તમારી જાતને કોઈ સંજોગોમાં નબળી ન પડવા દો. તમે જ તમારો સૌથી મોટો આધાર છો. હા, તમારી વ્યક્તિ, તેની હૂંફ, તેની સાંત્વના અને તેના શબ્દોની કદર કરો, એ તમને ચાહે છે અને તમારા દુઃખ અને હતાશાની તેને ખબર અને અસર છે. તમારે એમના માટે અને તમારા માટે હતાશામાંથી બહાર આવવાનું છે. બને ત્યાં સુધી તો એવું જ વિચારો કે આપણે હતાશાને આપણા ઉપર હાવી થવા નથી દેવી. જોકે, ઘણી વાર આપણી જાણબહાર એ ચડી આવે છે, આપણું કંઈ ચાલતું નથી. આવા સંજોગોમાં તમે જ તમારી જાતને બહાર કાઢી શકો. તમારી તાકાતને ઓળખો, તમે કરેલા કામને અને તમને મળેલી સફળતાને યાદ કરો, તમે જરાયે ઊતરતાં અને કોઈથી કમ નથી. બધી જ હતાશા, નિરાશા અને ઉદાસીને ખંખેરી નાખો. જિંદગી તમારી રાહ જોઈને બેઠી છે. તમે દસ્તક તો આપો એ તમને તરત જ ગળે વળગાડી દેશે. હાસ્ય, આનંદ અને સુખ હંમેશાં આપણી નજીક જ હોય છે, તમે એનાથી દૂર ન ભાગો... નજર ફેરવો એ હાજર જ છે.

છેલ્લો સીન :
માણસ દુઃખી છે, કારણ કે તે એવી વસ્તુઓની કામનાથી ભરપૂર છે, જે ટકી શકતી નથી.

પોસ્ટ બાય :ગીરીશભાઈ 

રવિવાર, 5 ઑગસ્ટ, 2012

દીકરી અને દીકરો

દીકરો વારસ છે તો દીકરી પારસ છે!
દીકરો વંશ છે તો દીકરી અંશ છે!
દીકરો આન છે તો દીકરી શાન છે!
દીકરો તન છે તો દીકરી મન છે!
દીકરો માન છે તો દીકરી સ્વમાન છે!
દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે!
દીકરો આગ છે તો દીકરી બાગ છે!
દીકરો દવા છે તો દીકરી દૂવાં છે!
દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે!
દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે!
દીકરો ગીત છે તો દીકરી સંગીત છે!
દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!
દીકરો વાદળ છે અને વરસે છે તો દીકરી ધરતી છે અને તરસે છે!
દીકરો એક પરિવારને તારે છે તો દીકરી દસ પરિવારને તારે છે!!

........ક્યારેય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુ:ખોથી ઘેરાયેલી
મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો.
તેની સાથે દિલ ખોલીને વાત કરી લેજો.
ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધારે ઠંડક અને અનંત શાંતિ અનુભવવા મળશે.
દીકરી તો મા-બાપનો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવ્યે છોડ્યા વગર
પણ ચાલતું નથી.
ઈશ્વરે દીકરી ઘડીને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે.
દીકરીનો મા-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો જ વહે છે.
દીકરી જગતના કોઈપણ ખૂણે જશે, માતા-પિતાના હૃદયથી ક્યારેય દૂર જતી નથી.

દીકરી સાથેની મા-બાપની વહાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરી જ સચ્ચાઈ છે.
દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે જ આપણાં તત્ત્વચિંતકોએ દીકરીને
બાપનું હૈયું કહી છે...
કલેજાનો ટુકડો કહ્યો છે. અને, એટલા માટે જ દીકરી સાસરે જાય છે ત્યારે મા-બાપની
આંખોમાં આંસુ વહે છે.
નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યા હોય તેને જ મળે છે 

posted by:jalpa gondaliya

મિત્રતા

'ફ્રેન્ડશીપ ડે' આવે અને લોકો સફાળા જાગે...કે..ચાલો ચાલો મિત્રો ને યાદ કરી લઇએ.
અને પછી તો એસ.એમ.એસ. , ફોટોઝ, કાર્ડ્સ , સોન્ગ્સ ..માંડે ઝીંકવા !
ક્યારેક તો એમ થાય..કે સાલ્લુ..મને તો ખબર પણ નથી કે મારે આવા આવા પ્રેમાળ મિત્રો છે !

ચાલો એક પ્રયાસ..મૈત્રી એટલે શું ?
...

-મૈત્રી એટલે ત્રિપરિમાણીય દ્રશ્ય.

-મૈત્રી એટલે સિંહ ની ડણક.

-મૈત્રી એટલે ગુલાબ નું ફુલ. (રંગ સુગંધ નાં દબદબા સાથે કાંટા ની સૌગાત )

-મૈત્રી એટલે અષાઢ ની હેલી. ( ગરજતી જાય અને વરસતી જાય )

-મૈત્રી એટલે ઘૂઘવતા દરિયા માં વિલીન થતી નદી નો વૈભવ.

-મૈત્રી એટલે રાવણહથ્થો નહી...જે હું હું કરે, મૈત્રી એટલે તંબુરો...જે..તું તું કરે.

-મૈત્રી એટલે કૂકડા ની બાંગ નહી જે સૂરજ સાથે આવે ,
પણ મૈત્રી એટલે તમરાં નો તમરાટ જે ઉદાસ રાતો ની નિઃસીમ એકલતા માં સાથ આપે .

-મૈત્રી એ વરઘોડા માં પ્રગટ થતો ઉન્માદ નથી,
પણ સ્મશાન ની રાખ માં થી અસ્થિ વીણતો હાથ છે.

મિત્રો...શું લાગે છે..? મૈત્રી એ ભાદરવા નાં ભીંડા જેવી હોય ? કે બે છાંટા પડ્યા નથી ને ફટાફટ ઉગી નથી ! અને પછી ...ધબાય નમઃ ! કોણ હું ને કોણ તું ?? અરે..મૈત્રી તો એક ખૂણાં માં પાંગરતી કોમળ કૂપળ ! ન જાણે કુદરત ની કઇ કરામત થી એનાં બીજ રોપાયા હોય ! એ તો ભર ઉનાળે પણ ઉગી નિકળે.

શું માત્ર એકબીજા ને સતત સારુ લગાડતા. કે વાહવાહી કરતા, કે સતત મળતા હોય એ જ સારા મિત્રો કહેવાય ? ના..

હકીકત આના થી ઉલટી પણ હોઇ શકે છે. એકબીજા સાથે લડતાં, એકબીજા નાં મત નું ખંડન કરતા, વાતે વાતે વાંકુ પાડતા, રિસાતા હોય એ પણ ઉત્તમ મિત્રો હોઇ શકે છે.

ગળચટ્ટા સંબંધો જાળવે એ વહેવાર કહેવાય..મૈત્રી નહી. મિત્ર તો એ છે જે દૂર રહે તોય સાથે જ હોય , લડતો હોય તો પણ પ્રેમ કરતો હોય , સુખ ની ઝરમર માં હાજર ના હોય પણ દુખ નાં ધોમધખતાં સંજોગો માં છાંયડો બની ને હાજર જ હોય.

જ્યારે કોઇ પુછે કે તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ ? ત્યારે જવાબ આપવામાં ગૂંચવાડો થાય..સ્વાભાવિક છે. પણ જ્યારે કોઇ નિર્ણય લેવામાં મુંઝાણા હોય અને સલાહ લેવા પહેલો એસ.એમ.એસ. જેને કરીએ એ બેસ્ટ ફ્રેન્ડ :) કારણ ? સાવ સીધી વાત છે..માંદા પડીએ ત્યારે પહેલી ફરિયાદ પ્રિયજન ને કરાય નહી કે ડોકટર ને ...!

સો વાત ની એક વાત કે...માણસ સામાજીક પ્રાણી હોવાથી એકલો નથી રહી શકતો. એ મિત્ર વગર અધૂરો છે. પ્રેમ કરવા, હસવા, રડવા, લડવા ( અને ...અફકોર્સ કવિતા સંભળાવવા) કમ સે કમ એક ફ્રેન્ડ જરુરી હોતા હૈ....શું કહો છો ?

નવરસ જેવા નવ મિત્રો કરતા...સબરસ જેવો ( નમકીન... યાર ;) :P ) એક મિત્ર સાચવી રાખવા જેવી જણસ છે.

' ખાટાં ,તીખાં , મીઠાં જંગો આપણ વચ્ચે,

પાણીપૂરી શા સંબંધો આપણ વચ્ચે. '
 
posted by:bharat zala



સોમવાર, 30 જુલાઈ, 2012

મારે ફરી એકવાર શાળાએ જવું છે.


દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને,
... સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...
મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.

બચપણ પ્રભુની દેણ છે
તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર.....

મંગળવાર, 24 જુલાઈ, 2012

જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.
...
૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો..

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ .

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને (Unconditional) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, મ ાટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.