ગુરુવાર, 19 જુલાઈ, 2012

થાકેલા ભગવાન

           કહે છે કે ભગવાન અવતરે છે.અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઉતરવું .હીરણાકશ્યપ થયો ત્યારે ભગવાન નીચે ઉતર્યા ,નહી માણસમાં કે નહિ પશુમાં એ નરસિંહરૂપે અવતર્યા અને હીરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા.
           પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે બલિ આવ્યો એટલે ભગવાન વામનરૂપે ફરી નીચે ઉતર્યા .ત્રણ પગલામાં ત્રિભુવન માપી બલિના માથા પર પગ મૂકી એને પાતાળમાં દે છે .
           તળાવમાં લીલ બાઝી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખું રહે,પણ જેવો હાથ લઇ લીધો કે હતું તેમનું તેમ .એમ વામનના ગયા પછી થયું .એટલે વળી પાછા રામ આવ્યા ,બહુ સારું રાજ કર્યું .રામ પણ ગયા .
            છેલ્લે કૃષ્ણ આવ્યા .મહાભારતનું યુદ્ધ થયું.કૌરવ -પાંડવ લડ્યા છેવટે કોઈ  ન બચ્યું.યાદવો પણ અંદરો-અંદર લડાઈ કરીને મરી ગયા.આ બનાવથી હતાશ થઇ  ભગવાન એક  પીપળાના ઝાડ નીચે હાથનું ઓશીકું કરી પગ ઉપર પગ ચઢાવી સુતા હતા.એમને હરણ માની એક પારધીએ તીર માર્યું ,તે ભગવાન ને વાગ્યું.એમનો સારથી પાસે હતો,તેને પૂછ્યું 'ભગવાન ,કંઈ સંદેશો કહેવાનો છે?'
          ભગવાન જવાબ આપ્યો ;'હવે તો હું થાક્યો છું.હવે હું બીજો અવતાર લેવાનો નથી.સંદેશો તો મેં 'ગીતા'માં જ આપી દીધો છે."માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી લેવો ,કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકતું નથી.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો